ત્રણ પાળીમાં ચાલતું બજાર Manekchok

ત્રણ પાળીમાં ચાલતું બજાર

 લગભગ ૧૫મી સદીની આસપાસ કોઈ સંત માણેકબાબના નામ પરથી અમદવાદની વચોવચ આવેલા ચોકનું નામ માણેકચોક પડ્યુ. અહિં આખો દિવસ માનવ મહેરામણ ઉભરાય છે. સવારે વહેલા અહિં શાકબકાલું વેચાય છે. પછી સોનીબજાર ધમધમે છે. અને રાતે ખાણીપીણીનું બજાર મોડીરાત સુધી ચાલતું હોય છે.        આ માર્કેટ ચોવીસેય ક્લાક ખુલ્લું હોય છે. 
 આ બજાર એ રાણીના હજીરાની અડીને ઉભી હરોળમાં આવેલું છે વચ્ચે સરસ મજાનો ચોક પડે છે. અહિંનું સોનીબજાર ગુજરાતનું સૌથી  મોટું સોનાચાંદીનું બજાર છે. અને ખાણીપીણીનું બજાર પણ વર્ષો જુનું છે.  માણેકચોકમાં તમે રાતે જાવ ત્યારે તમને દિવસ કરતાંય વધારે ભીડ જોવા મળે. ખાણીપીણીનો તો જાણે મેળો જામ્યો. જાત જાતના ભાતભાતના નાસ્તાની લારીઓ એને દુકાનો હારબંધ દેખાય.
 અહિંની દુકાનો ૧૯૪૨ પહેલાની છે. અમુક તો પેઢિઓથી છે. તેમના લાઈસન્સ બ્રિટીશરોના જમાનાના છે. માણેક ચોકમાં રાણીના હજીરાની લાઈનમાં જે દુકાનો છે તે સૌથી જુની છે. વચ્ચેના ચોકની ભાજીપાઉ અને બીજા ફસ્ટફુડની દુકાનો ૩૦થી ૪૦ વર્ષ જુની છે. હાલમાં આ દુકાનો દુકાન શરુ કરનારની ત્રીજી કે ચોથી પેઢી ચલાવે છે. આપણા પરંપરાગત નાસ્તા તો ખરાંજ સાથે સાથે વિદેશીફુડનું દેશીકરણ થઈને ઈન્ડોવેર્સ્ટન ફુડ પણ અહિં અવેલેબલ છે. આ માણેકચોકમાં દુકાનદારોનો રોજનો વકરો લાખોમાં છે. માણેકચોકનું એક સુત્ર છે ‘ધરાઈને ખાશો તો ધાર્યુ થશે’.
 રાતે દસથી સાડા દસ વાગે એટલે આ નાસ્તાબજારની લારીઓ પોતાની દુકાનો જમાવવા લાગે છે તે છેક સવારના ત્રણ વાગ્યા સુધી ગરમાગરમ નાસ્તાથી આવનારાના મન જીતી લે છે. આમતો સરકારે રાતે દોઢ વાગ્યા સુધીનીજ પરમીશન આપેલી છે. પણ બધું આટોપતા આટોપતા સવારના ત્રણ વાગી જાય છે. જ્યારે અમે ત્યાંના ગરમા ગરમ ગાંઠીયાં અને ફાફડાની લહેજત માણનારા ગ્રાહકોને જ્યારે અમે પુછ્યું કે આટલી રાતે અહીં નાસ્તો કરવા આવવાનું કારણ ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો. ‘હું કેનડાથી આવું છું દર શિયાળામાં બે મહિના માટે ઈન્ડિયા આવવાનું થાય ત્યારે અઠવાડિયામાં બે વાર તો આ માણેકચોકની મુલાકાતે આવવાનુંજ અમે પહેલા દરિયાપુરની પોળમાં રહેતા હતા હાલમાં અમે નારણપુરામાં રહીએ છીએ. પણ તેમ છતાં હું અહીં આ ગાંઠીયા ખાવા આવું છું. વિદેશમાં આખુ વર્ષ મને આ સ્વાદ યાદ આવે છે અને હું અહીં વીતાવેલી ક્ષણોને વાગોળ્યાં કરૂં છુ.’ આ શબ્દો છે પોતાના પરિવાર સાથે માણેક ચોકમાં ફાફડાની જયફત ઉઠાવવા આવેલા નલીનભાઈ પટેલ અને અર્ચીતાબહેન પટેલના.
 આ તો થઈ એન. આર આઈની વાત પણ આપણને એમ થાય કે આ લોકો આટલી મોડી રાતે સ્પેશ્યલ નાસ્તો કરવા માટે છેક માણેકચોક સુધી લંબાતા હશે. તો તેના કારણો જુદા જુદા છે જેમ કે, જયશ્રીબહેન સોની અને ભરતભાઈ સોની કાંકરીયા રહે છે તેમ છતાં અહીં આવે છે . અહીં પાણીપુરી અને ભેળ ની મજા માણી રહેલા આ કપલને અમે પુછ્યું કે તમે અહીં કાયમ આવો છો. તો તેમણે જવાબ આપ્યો ક,ે ‘ છેલ્લાં ૩૦ વર્ષથી હું અને મારી પત્ની બંને દર શુક્રવારે અને રવીવારે માણેકચોક અચુક આવીએ. અને ભેળ તેમજ પકોડી તો ખાઈએજ ખાઈએ. સાથે સાથે હમણાં થી અમે ક્લબ સેન્ડવિચ પણ ટ્રાય કરીએ છીએ.’
 માણેેક ચોકમાં દહિંવડા અને નવતાડના સમોસાનો સ્વદ માણી રહેલા જાણીતા કોલમીસ્ટ અને લેખક મંગલ દેસાઈને જ્યારે અમે પુછ્યું કે, આટલી રાતે અહીં માત્ર નાસ્તો કરવાજ આવો છે કે બીજું પણ ખાસ કારણ છે. તેમણે હસતાં હસતાં જણાવ્યું કે, ‘ જો જમવાની જયફત ઉઠાવવા તો આવીએજ છીએ પણ મને ગુજરાતી નાટકો લખવાનો અને ડિરેક્ટ કરવાનો અને જોવાનો ખુબ શોખ છે. એટલે જ્યારે આ શો પુરો થાય  ત્યાર રાતના ૧૨ વાગી ગયા હોય આખા દિવસની મહેનત અને રીહર્સનનાં કારણે કલાકારો થી લઈને તેમને સર્પોટ કરનાર તમામ લોકો થાકી ગયા હોય છે. ત્યારે અમદાવાદમાં બીજે ક્યાંય તમને આટલો ગરમા ગરમ અને તાજો નાસ્તો ના મળે. અને વળી જે તમને ભાવતું હોય તે! ઓવી ચોઈસ બીજે ક્યાં મળે. હું કીશ્ન નગર રહું છું છતાં મને અહીંનું ફુડ કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેટલુંજ ભાવે છે.’
 ત્યાં પેઢિઓથી ધંધો કરતાં સોહમલાલાને જ્યારે અમે પુછયું કે ઘરાકી કેવી રહે છે ત્યારે તેમણે કહ્યુ કે વર્ષોથી અહીં તમને હમેશાં માણસોની ભીડ જોવા મળેજ હા થોડા સમય માટે ઘરાકીમાં ઘટાડો થયો હતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો ઘરાકીમાં એકદમ ઉછાળો આવ્યો છે.’
 રાતે આ ખાણીપીણીના મેળામાં એક સામાન્ય સ્ટુલ પર સેન્ડવિચનું બોર્ડ લાગેલું હતું. જ્યારે અમે ત્યાં જઈને ત્યાં અશોક સ્ટવ પર ક્લબ સેન્ડવીચ બનાવી રહેલા પ્રાણલાલ સોનીને પુછ્યુ કે તમે મહિને કેટલું ભાડું ચુકવો છો? તો તેમણે જવાબ આપ્યો કંઈ નહી માત્ર જે લાઈટ બીલનો ખર્ચ આવે તે અમારે ચુકવવાનો હોય છે અમે જગ્યાનું કોઈ ભાડું ચુકવતાં નથી.’ આમ જોવા જાવ તો આ સુરક્ષાનો એક સરળ અને સરસ માર્ગ છે. આટલા મોટા સોનીબજારમાં જો સીક્ીયોરીટી રાખવાં જાય તો કેટલો બધો ખર્ચ આવે એના કરતાં આ દુકાન દારો ખાણીપીણીના સ્ટોલ લગાવવા દે જેથી તેમની દુકાનોની ચોકી પણ થાય અને ખાણીપીણીવાળાનો બિઝનેશ પણ. મોટાભાગે માણેક ચોકમાં રાતે ચોરી ના થવા પાછળ આજ કારણ હશે.
 બીજું એ કે અહીં જે લોકોની ભાજીપાંઉ, સેન્ડવીચ, સમોસા, ગાંઠીયાં, જલેબી. કુલ્ફી, આઈસ્ક્રીમ, પીઝા, બર્ગર, કે તમામ નાસ્તાની દુકાનો છે તેઓ દિવસે બીજે નોકરી ધંધો કે વ્યવસાય પણ કરે છે. એટલે વગર રોકાણનો આ એક્સ્ટ્રા ધંધો કહી શકાય. જો એક દિવસનું માણેકચોકની ખાણીપીણીની દુકાનોનું કાઉન્ટર ગણો તો ૫થી ૧૦,૦૦૦ જેટલું હશે.
 હવે તો સરકાર કોઈ નવી દુકાનોને લાયસન્સ આપતી નથી. પણ જેટલી છે તે દુકાનો રાતે માણેકચોકની રોનકમાં ઓર વધારો કરે છે. પશ્ચિમ વિસ્તાર એટલે કે અમદાવાદમાં સાબરમતીની આ બાજુએ તો હજુ હમણાં રાત્રીબજારનો કન્સેપ્ટ અમલમાં આવ્યો છે. પણ પૂર્વવિસ્તારમાં તો આપણને આઝાદી મળી તે પહેલાનું નાઈટમાર્કેટ ધમધમે છે.

No comments:

Post a Comment