કૂલ રહેવા કૂલ ખાઓ
કાળઝાળ ગરમીથી બચવા આપણે તમામ ઉપાય કરીએ છીએ, પણ આપણી ઈટિંગ હેબિટને ભૂલી જઈએ છીએ. તમારો ખોરાક તમારું સ્વાસ્થ્ય નક્કી કરે છે.ગરમીમાં શરીરમાં પિત્ત વધી જાય છે. એટલે કે એસિડ બનવાની પ્રક્રિયા વધી જાય છે. આ સમસ્યાને ટાળવા માટે ઠંડો ખોરાક ખાવો જરૂરી છે. શરીરમાં જ્યારે કફ જમા થાય છે, ત્યારે આ પાછળ ત્રણ બાબતો હોય છે, એક શરીરની પ્રકૃતિ, બીજી ઋતુ અને ત્રીજો ખોરાક. કફ પ્રધાન ખોરાક શિયાળામાં નુકસાનકારક છે, એ જ ખોરાક ઉનાળામાં શરીરને ઠંડક આપે છે.
ઠંડકવાળા અનાજની વાત કરીએ તો ઘઉં, ચોખા આ કેટેગરીમાં આવે. કઠોળમાં મગદાળ ઉત્તમ કહી શકાય. આ ઋતુમાં અડદ કે રાજમા વધારે ના ખાવા જોઈએ. આનાથી શરીરમાં ગરમી વધે છે, પણ બધા કઠોળની દાળને ફણગાવીને ખાવાથી ટાઢક મહેસૂસ થશે.
ફિટનેસ ફંડા
ફાલ્સાનું શરબત
૨૫૦ ગ્રામ ફાલ્સાને સારી રીતે ધોઇને મિક્સ્ચરમાં નાંખીને પીસી લો. ઝીણી ગરણીથી ગળી દો. હવે આમાં ૩ ગ્લાસ ઠંડુ પાણી અને ૩ ચમચી ખાંડ ભેળવી દો. ખાંડ ઓગળી જાય તે પછી લીંબુ નીચોવીને બરફના ટુકડા નાંખીને ઠંડુ જ સર્વ કરો. આનાથી ગરમી સામે તમને રાહત મળશે.ચંદન અને ખસખસનું શરબત
જો હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગે તો તેનો અકસીર ઇલાજ છે ચંદન અને ખસખસનું શરબત. પિત્તપ્રકૃતિના લોકોને ખાસ અસરકારક છે.
હેલ્થ ટિપ્સ
ઉનાળામાં આટલું કરોતીખંુ તળેલું ખાવાથી શરીરમાં આળસ આવે છે. એની જગ્યાએ બાફેલું કે શેકેલો આહાર લો. ગરમ મસાલો ઓછો વાપરો. લાલ મરચાંની જગ્યાએ કાળા મરી વાપરો.
ચા કોફી ઓછી પીઓ. આનાથી બોડી ડી હાઇડ્રેટેડ થાય છે. એની જગ્યાએ ગ્રીન ટી પીવી વધારે સારી.
સ્મોકિંગ કે આલ્કોહોલ ઓછું કરો. લોકો માને છે કે બીયર ઠંડી હોય છે, પણ વાસ્તવમાં તેમાં ગ્લીસરીન વધારે હોય છે, જેનાથી શરીર ડીહાઇડ્રેટેડ થાય છે.
સામાન્ય રીતે ગરમીમાં ડ્રાયફ્રૂટ ના ખાવું જોઈએ. પણ રોજ રાતે ૧૦ જેટલી બદામ પાણીમાં પલાળીને સવારે ખાવાથી રાહત રહે છે.
મધની પ્રકૃતિ ગરમ છે એટલે ઉનાળામાં ઓછું ખાઓ.
ફ્રોજન ફૂડ ના ખાઓ.
No comments:
Post a Comment