health tips for sumer

આ ઉપાયથી ગરમીની અસર નહીં થાય

ગરમીના કારણે આ મોસમમાં અનેક પ્રકારના રોગ થાય છે. આ મોસમમાં દાદર, એગ્જિમા, ખીલ વગેરે જેવા ત્વચા સંબંધી રોગ થવાની શક્યતા રહે છે. આ રોગોની સામે બચવા માટે લીમડાનો પ્રયોગ વધારે ફાયદાકારક રહેશે. સવારે ખાલી પેટે લીમડાનાં ૫૬ પત્તાં ખાવાથી સ્કિન સંબંધી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થશે.

પાણીની કમીનું સમાધાન

આ સીઝનમાં પાણીની કમી થવાથી માથાનો દુઃખાવો, તાવ આવવો, શરીર દુખાવું વગેરે જેવી સમસ્યા ઊભી થાય છે. આની સાથેસાથે જ થાક લાગવો, અશક્તિ આવવી અને બ્લડપ્રેશર ઓછું થવું વગેરે જેવા પ્રોબ્લેમ પણ ઊભા થાય છે. આનાથી બચવા માટે દરરોજ ૩ લિટર પાણી પીઓ. નાળિયેર પાણી, લીંબુ પાણી, શરબત, તરબૂચ, કાકડી વગેરેનું સેવન કરવાથી પણ શરીરમાં પાણીની માત્રા વધશે.

ટિપ્સ

૧. જે લોકો બરફનું પાણી પીતા હોય છે, તેમનું ગળું આ સીઝનમાં ખરાબ થઈ જાય છે. આ માટે મુલૈઠી અસરકારક સાબિત થશે. અડધી ચમચી મુલૈઠીના ચૂર્ણને મધમાં ભેળવીને દિવસમાં બે વખત લેવાથી ગળાની ખરાબી દૂર થશે.
૨. આ ઋતુમાં ખરાબ પાણી અને ભોજનનું સેવન કરવાથી ટાઇફોઇડ, કમળો જેવા રોગ થવાની શક્યતા રહે છે. આ રોગોથી બચવા માટે ૩ ચમચી એલોવેરાનો ફ્રેશ પલ્પ સવારે ખાલી પેટે લેવો જોઈએ અને ભોજન પછી અડધી ચમચી લીમડાનાં પત્તાંનું ચૂર્ણ દિવસમાં બે વાર પાણી સાથે લો.
૩. ગરમીમાં લૂથી બચવા માટે ગુલાબ તથા ખસના શરબતનો ઉપયોગ કરો. તડકામાં ટોપી, છત્રી અને ચશ્માં પહેરીને જ બહાર નીકળો.
૪. ચા, કોફી અને તમાકુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આમાં ખૂબ જ ગરમી હોય છે. ભોજનમાં પણ મરચું, અથાણું, તળેલા પદાર્થ ઓછા ખાવા જોઈએ. 

નાળિયેર પાણી

નાળિયેરના પાણીમાં દૂધથી વધારે પોષક તત્ત્વો હોય છે. કારણ કે, તેમાં કોલેસ્ટ્રોલની માત્રા નથી હોતી. નાળિયેર પાણીમાં વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ અને પોટેશિયમ હોય છે, જે બ્લડપ્રેશર અને હૃદય સંબંધી પ્રોબ્લેમમાં મદદરૂપ થાય છે.
આના ઉપયોગથી લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. નાળિયેર પાણી ફક્ત શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા જ મજબૂત નથી કરતું, પરંતુ શરીરમાં રહેલા અમુક કીટાણુઓથી પણ બચાવે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો નાળિયેર પાણી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. નાળિયેરનાં પાણીનું સતત સેવન કરવાથી કિડનીની પથરી જાતે જ નીકળી જશે. આ સિવાય નશાને ઓછો કરવામાં પણ નાળિયેર પાણી ખૂબ જ અસરકારક સાબિત થાય છે.



No comments:

Post a Comment