love letters

 પ્રિયપાત્રને દિલની વાત પહોંચાડવાનો સરળ રસ્તો એટલે 

 ‘જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

 ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.’  

 અને આ ગઝનલી રજૂઆતનું માધ્યમ હશે લવવેટર.

‘પ્રેમ’ શબ્દ સાંભળીનેજ દરેકને કોઈ સ્પેશ્યલ પર્સન યાદ આવી જાય. અને પ્રેમપત્રની વાત આવે ત્યારે જાણે જગત લીલુછમ થઈ જાય. અબાલવૃધ્ધ સૌ કોઈ પ્રેમની લાગણી સમજે છે. આ લવની લાગણીનું પ્રમાણ એટલે પ્રેમપત્ર. ભલે ફેસબુક અને મેલ કે એસ.એમ.એસ નો જમાનો હોય પણ પત્રોનો અંદાજજ કંઈક અૌર છે.
 વેલેન્ટાઈન ડે આવે એટલે અચાનક જાણે પ્રેમઋતુની શરૂઆત થઈ જતી હોય તેમ ચોતરફ લવની લહાણી થતી જોવા મળે. બજારનું રૂખ પારખીને હોંશિયાર બિઝનેશમેનસ અને સીમકાર્ડ કંપનીઓ તેનો લાભ લેવા જાતભાતના ગતકડાં કરે. પણ હાલમાંય પ્રેમપત્રોનો દબદબોતો હજુ અકબંધજ છે. હા તેના સ્વરૂપ જરૂરથી બદલાયા છે. પહેલા તે સામાન્ય પત્ર હતો હવે તે ઈલેક્ટ્રોનીક મેલ એટલે કે ઈમેલ બન્યો છે. અને એસ.એમ.એસ બન્યો છે. પણ તેનું મહત્વ જરાય ઘટ્યુ નથી.
 કોઈ ગમી જાય અને દિલના તાર ઝણઝણી જાય એટલે પછી વાત આવે પ્રેમના પ્રસ્તાવની પણ અહીંજ ખરી મુંઝવણની શરૂઆત થાય. વારે વારે તે સામે આવે ને ગોખી રાખેલા સંવાદો ભુલાઈ જાય. એ સમયે લવલેટર તારણહાર સાબીત થાય છે. જો પ્રિયપાત્ર રીસાઈ ગયુ હોય. વિરહની વેદના તડપાવતી હોય કે પછી પ્રેમનું પ્રપોઝલ મુકવું હોય. દરેકને પોતાનો પ્રથમ પ્રેમપત્ર લખતી વખતે મીઠી મુંઝવણ થાય જ

 દુનિયાની દરેક સ્ત્રીની દિલથી ઈચ્છા હોય છે કે, તેનો પિયુ તેને પ્રેમપત્ર લખે. હા કેટલીક સ્વીકારે છે. તો કેટલીક તેનો સાવ બોદો ઈન્કાર કરે છે. પણ પ્રેમમાં ઈન્કારનો મતલબ એકરાર થાય છે. આપણી આજની જનરેશન અને પહેલાની જનરેશન આ વિશે શું માને છે ચાલો તેમનેજ પૂછી લઈએ.
 જ્યારે પ્રેમપત્રો વિશે આપણા દાદાદાદીને પૂછ્યુ ત્યારે તેમણે જે જવાબ આપ્યા હતા તે ખૂબજ રસપ્રદ હતાંં . તેઓનું કહેવું એમ હતુ કે ‘હરએક કોલેજમાં અને ગામમાં તમને એક લવગુરૂ જરૂર મળી રહે જે બધાને તેમને અનુરૂપ કાગળ લખી આપતો હોય. વિરહની વાત હોય તો તે મુજબની શાયરી ગોઠવે, જો પ્રેયસી રીસાઈ ગઈ હોય તો તેને લગતો લેટર લખે.  અને આ માટેનું ખાસ સાહિત્ય વસાવ્યું હોય તેને ત્યાં તમામ પ્રકારની શાયરીઓની ચોપડી મળી રહે ના હોય તો તે ખાસ ખરીદે. કે તેમને ખાસ શાયરીની ચોપડીઓમાંથી શાયરીઓ લખતાં. દરેક વ્યક્તિ માટે તેણે લખેલો પ્રહેલો પ્રેમપત્ર પહેલા પ્રેમ જેટલોજ યાદગાર હોય.
 હાલમાં અમેરિકામાં વસતાં કમળાબેન પટેલનું કહે છે, ‘આજથી ૫૦ વર્ષ પહેલાની વાત છે. ત્યારે હું પાંચમીમાં ભણતી અને મારા મેરેજ થઈ ગયા હતાં. પહેલા તો નાની ઉંમરમાં વિવાહ થઈ જતાં. છોકરો છોકરી પ્રેમ કે લગન્ બેમાંથી એકેયનો મતલબ સમજતાં નહિ. ધીરે ધીરે તેઓ મોટા થતાં અને પછી આ પ્રેમપત્રોનો સીલસીલો ચાલું થતો. ત્યારે મેરેજ તો વહેલા થતાં પણ આણું મોડુ થતું. હું એ વખતે ઓલ્ડ એસ.એસ.સી માં ભણતી હતી. જ્યારે મેં મારાજ પતિને પ્રેમપત્ર લખ્યો હતો. એ રોંમાચ જ્યારે મને યાદ આવે છે ત્યારે અત્યારેય હું એકલી એકલી શરમાઈ જાઉં છું. ખાસ તો કાંઈ એટલુ બધુ સમજાતુ નહી. પણ જે આવડે તે પત્રમાં લખતાં. ત્યારે મારી એક બહેનપણી હતી વીમળા. તે અમારો તારણ હાર હતી તે નિશાળની બધી છોકરીઓને પ્રેમપત્રો લખી આપતી. કેમ કે, પ્રેમની લાગણીતો હોય પણ પ્રેમનું લખાણ લખવું ખૂબ અઘરુ લાગતું જો લખવા બેસીએ તો શબ્દ સુઝેજ નહી. હું તો મારા વ્હાલા આટલું લખીને જ એટલી શરમાઈ જતી કે આગળ કંઈ લખીજ ના શકતી. પણ વીમળા જબરી ચબરાક તે તો એવી એવી શાયરીઓ ગોતી કાઢે કે ના પૂછો વાત.  મારા પતિ એ વખતે કોલેજમાં ભણે એટલે તે મારા પર પ્રભાવ પાડવા અંગ્રેજીમાં લેટર લખતાં. મને ઈગ્લીસ વાંચતા આવડે નહી. એટલે ના છુટકે મારે એ વિમળાનો સહારો લેવો પડતો. એ પહેલાં તો ખૂબ ચીડવે અને પછી ધીરે ધીરે કાગળ વાંચે. અને તે જેમ જેમ વાંચતી જાય તેમ તેમ મારા હૈયાના તાર પ્રેમનું સંગીત વગાડતાં જાય. અત્યારે તો ખબર નહી કે વિમળા કયાં હશે પણ હું અને મારા પતિ સતત ૧૫ વર્ષ સુધી આરીતે એકબીજાને પત્રો લખતાં હતા. કેમ કે મારુ આણું થયુ એના અઠવાડિયામાં તો તે અમેરિકા ચાલ્યા ગયા હતા. તે વખતે અમને આ વેલેન્ટાઈન ડેની કંઈ ખાસ ખબર નહતી પણ જ્યારે જ્યારે તેમનો પત્ર મારા પર આવતો ત્યારે ત્યારે મારા માટે તે દિવસ વેલેન્ટાઈન ડે હતો. અત્યારે જ્યારે અહીં અને ભારતમાં બધાને આ રીતે વેલેન્ટાઈન ડે મનાવતાં જોઉં છુ ત્યારે મને પણ તે દિવસો યાદ આવી જાય છે.’
 અમદાવાદના જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં અમે વ્યાસ દંપતિને મળ્યા. ત્યારે તેમણે કહ્યુ કે,

 જ્યારે અમદાવાદના કુશલ પંચોલીને પોતે એક કેમ્પ્યુટરએન્જીિનીયરીંગનું ભણે છે. અમે જ્યારે તેમને પ્રેમપત્રો વિશે પૂછ્યું ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે પણ જાણવા લાયક હતો. ‘મારી ઉંમર અત્યારે ૨૦ વર્ષ છે અને મારો પ્રથમ પ્રેમ જે સફળ નહોતો તે મને ૧૬ વર્ષની ઉમંરે થયો હતો. મને પ્રેમપત્રોમાં અને સાહિત્યમાં ખાસ રસ નથી. પણ મેં પહેલો લખેલો લવલેટર મને આજેય યાદ છે. છોકરીનું નામ નહી લઉં પણ મેં બજારમાંથી તૈયાર આઈ લવ યુ વાળુ કાર્ડ ખરીદ્યુ અને તેમા ટુ કરીને તેનું નામ લખ્યું સરસ મજાની આશીકાના શાયરી લખી. અને નીચે ફ્રોમમાં ફક્ત તારોજ કુશલ લખીને મેં તેને આપ્યું. તેણે શરમાઈને લઈ લીધું. પણ બીજા દિવસે તેના ભાઈએ મારી જે ધોલાઈ કરી છે. તે માટે મારી પાસે શબ્દો નથી. પેલી છોકરીનું પછી શું થયુ તે જાણવાની મેં ક્યારેય કોશીશ પણ નથી કરી. પણ આજના ફેસબુકના જમાનામાંય એ ફેસ ટુ ફેસ આપેલો પ્રેમપત્ર હું ક્યારેય નહી ભુલું.’

જ્યારે પણ પ્રેમ ની વાત આવે ત્યારે મુંઝવણ તો સાથે ફ્રી આવે છે. એટલેજ કહે છે કે જ્યારે તમે પહેલો પ્રેમ પત્ર લખો ત્યારે સૌથી વધારે વૃક્ષોનું નીકંદન નીકળતું હશે. કેમકે એક લવ લેટર લખતી વખતે આપણે ઓછામાં ઓછા ૧૦થી વધારે

બોક્સ
 સૌથી પહેલો પ્રેમપત્ર કોણે લખ્યો હશે? અને કોને લખ્યો હશે? આ પ્રશ્ન થવો સાવ સામાન્ય છે તો તેનો જવાબ છે.  સૌથી પહેલો લવલેટર રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને લખ્યો હતો. અને આ એક પત્રના આધારે શ્રી કૃષ્ણ દ્વારીકાથી હાલના મહુવામાં દોડી આવ્યા હતાં. આ પત્રમાં રૂક્ષ્મણીજીએ ૭ શ્લોકમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
પ્રથમ શ્લોક
 હે પરમેશ્વર, તમારુ માત્ર નામ સંપર્કમાં આપતાની સાથે તાપ,પાપ, સંતાપ સમગ્ર દુઃખ દરીદ્રતા દુર થઈ જાય છે. જન્મોજનમના તમામ દોષ ટળી જાય છે. તમારૂ રૂપ સૌંદર્ય એ આંખો માટે અર્થ, કામ, મોક્ષ, ધર્મ એ ચારે ચાર છે. આટલું સાંભળતાની સાથેજ હું મારી તમામ મર્યાદા અને શરમ છોડીને તમારામય બની જવા માંગુ છું.

બીજો શ્લોક
 હે પ્રમના સાક્ષાત સ્વરૂપ, શ્યામસુંદર વિશ્વની હરએક વસ્તુ આપની  સાવ તુચ્છ છે. તમે હાજર હોવ ત્યારે કોઈ પણ કુળવાન, ગુણવાન અને ધૈર્યવાન કન્યા પતિ તરીકે આપનીજ કામના કરે. એટલેજ હે પ્રિયતમ મે તન મન ધનથી આપને મારા પતિ માન્યા છે. મે મારો આત્મા તમને સોંપી દીધો છે.

ત્રીજો શ્લોક
 તમેતો અંતર્યામી છો મારા દીલની વાત તમારીથી છુપી નથી. તમે અહિં આવીને મારો પત્નિ તરીકે સ્વીકાર કરો. હે કમલ નયન, પ્રાણ વલ્લભ હું તમારા જેવા વીરને વરી ચુકી છું. જેમ સિંહનો હિસ્સો શિયાળ અભડાવી જાય તેમ શિશુપાલ મને સ્પર્શી ના જાય તે જોવાની જવાબદારી તમારી છે.

ચોથો શ્લોક
 મેં જો કોઈ જન્મમાં કુવો કે વાવડી માટે જગ્યા આપી હોય કોઈ દાન ધર્મ , નિયમવ્રત કર્યુ હોય, દેવતા, બ્રાહ્મણ અને ગુરૂનો આદર સત્કાર કર્યો હોય તેમની પૂજા આરાધના કરી હોય અને જો તેઓ ખુશ હોય તો હે ભગવાન શ્રી કૃષ્ણ આવીને મારૂં પાણી ગ્રહણ કરો, શીશુપાલ કે બીજો કોઈપણ પુરૂષ મારો સ્પર્શ ના કરી શકે.

પાંચમો શ્લોક
 હે પ્રભુ તમે અજીત છો. જે દિવસે મારા વિવાહ છે તેના એક દિવસે પહેલા તમે ગુ રીતે અમારી રાજધાનીમાં આવી જાઓ. પછી મોટા મોટા સેનાપતિ, શિશુપાલ અને જરાસંઘની સેનાને રહેંસી નાંખો. અને વીરતા પૂર્વક મારૂ પાણી ગ્રહણ કરો.

છઠ્ઠો શ્લોક
 જો તમે એમ વિચારતા હોય કે મારા ભાઈભાંડુઓને માર્યા વિના તમે મારા અંતઃપુર સુધી કેવી રીતે પહોંચી શકશો તો, હું તમને તેનો રસ્તો પણ બતાડુ, અમારા કુળનો એવો નિયમ છે કે કન્યા વિવાહ પહેલા નગરની બહાર આવે લા ગિરિજાદેવીના મંદિરે દર્શન કરવા જવું પડે છે. તો તમે ત્યાં આવીને મારૂ વરણ કરી શકો છો.

સાતમો શ્લોક
 હે કમલનયન ઉમાપતિ ભગવાન શંકર જેવા મહાદેવ પણ આત્મશુધ્ધી માટે આપના ચરણોની ધુળથી સ્નાન કરવા ઈચ્છતાં હોય તો હું આપના ચરણરજની પ્રસાદી કેમ ના લઉં. જો હું આપના ચરણોમાં સ્થાન ના પામી શકી તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. ચાહે મારે હજારો જન્મ લેવા પડે કોઈક જન્મમાં તો મને તમારા ચરણોમાં જગ્યા પ્રા થશેને.
 આ પ્રેમપત્ર વાંચીને ભગવાન શ્રી કૃષ્ણ છેક દ્વારીકા દોડી આવ્યા હતાં.

No comments:

Post a Comment