health tips for dihidretion

શ્રી ગણેશાય નમઃ઼

ઉનાળો આવે એટલે ડિહાઇડ્રેશનનો ડર સતાવે.

ઉનાળો આવ્યો એટલે હવે ચારે તરફ ડિહાઇડ્રેશનના વાવડ આવવા લાગશે. આપણા શરીરમાં ૭૦ ટકા જેટલું પાણી જરૂરી છે. ઉનાળામાં પરસેવો થવાને કારણે આ પ્રમાણ ઘટી જાય છે. જે ડિહાઇડ્રેશન થવા માટે જવાબદાર હોય છે.
 સામાન્ય રીતે ચૈત્ર મહિનો આવે એટલે દિવસ લાંબો થતો જાય અને ગરમીનું પ્રમાણ વધતું જાય, જે તમારામાં આળસ વધારી દે છે. થોડોક શ્રમ કરો તો પણ તમને પરસેવો છૂટી જાય છે. જે તમારામાં ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટાડે છે.
 બીજું એ કે ઉનાળામાં ગરમીને કારણે બહારનું ખાવાનું ટાળવું. કેમ કે ગરમીને કારણે તે ઊતરી જવાના ચાન્સ રહે છે અને બગડેલો ખોરાક પેટમાં જાય એટલે ફૂડ પોઇઝનિંગ થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે.
 આમ પણ ભૂખ કરતાં હંમેશાં બે કોળિયો ઓછું ખાવું શરીર માટે સારું.
 ઉપાય
થોડી થોડી વારે ખાંડ અને મીઠાનું પાણી પીઓ.
ઓ.આર.એસ. પાવડર પણ પી શકાય.
ગ્લુકોઝનું પાણી પણ તમને ડિહાઇડ્રેશનથી બચાવશે અથવા જલદી રીકવર કરાવશે.
સતત થોડું થોડું ફ્રૂટ જ્યૂસ પીતા રહો.
હળવો ખોરાક પણ ચાલુ રાખો.
બહારનું ખાવાનું ટાળો.
બને ત્યાં સુધી કાચો કે તળેલો ખોરાક ના આરોગો.
ફિટનેસ ફંડા
રોજ ૧૦ ગ્લાસ પાણી પીઓ.
રોજ બે ગ્લાસ લીંબુપાણી પીઓ.
તડકામાંથી આવીને તરત ઠંડું પાણી ના પીશો.
એકદમ જ એ.સી.વાળા વાતાવરણમાંથી તડકામાં ના જશો.
તેવી જ રીતે તડકામાંથી આવીને એકદમ એ.સી.માં ના બેસશો.
બને ત્યાં સુધી બપોરે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં જવાનું ટાળો.
હેલ્થ ટિપ્સ
વરિયાળીનું શરબત બનાવીને પીઓ, તે તમને ઠંડક આપશે.
જો તમને પગના તળિયા બળતા હોય તો ડુંગળી ઘસો અથવા ઘી ચોપડી વાટકી ઊંધી કરીને ઘસો, ઠંડક થશે.
નાળિયેર પાણી પણ ખૂબ સારું રહેશે.
તળબૂચ, શક્કરટેટી જેવાં ફ્રૂટ્સ પણ ખાઓ.
શક્ય હોય તો બપોરે ડુંગળી અને કાચી કેરીનું કચુંબર ખાઓ.

No comments:

Post a Comment