શ્રી ગણેશાય નમઃ

મોતનો મદારી

હું બસ આમજ ચાલતી હતી.
સામે મળ્યો મને મોતનો મદારી

હું રોતી કકળતી ચીખતી ચીલ્લાતી
પણ મને ના ગાંઠ્યો મોતનો મદારી

હું બસ આમજ સ્તબ્ધ થઈ રહી જોતી
નઈ જીવને ચાલ્યો મોતનો મદારી

વિચાર્યુ‘તુ એના વગર કેમ રહીશ જીવતી
પણ શીખવી ગયો જીવતા મોતનો મદારી

હું પુરૂષાર્થનું પ્રેમથી પૂજન કરતી‘તી
પણ પ્રારબ્ધ આવી બન્યુ મોતનો મદારી

હું જીવનના બાગમાં નાચતી ગાતી‘તી
બાગને તારાજ કરી જંપ્યો મોતનો મદારી

હું મારા જીવનમાં ખૂબ ખૂશ હતી
પણ અચાનક રડી પડ્યો મોતનો મદારી

હું નીશ્ચીંત ‘કિનારા’ કિનારે ઉભી‘તી
વંટોળ થઈ ત્રાટક્યો મોતનો મદારી.

1 comment: