સંવેદના
હું  કેમ કરી કહુ તમને મારી સંવેદના  રે
તમે  ક્રિશ્ન  અમે  સુદામાની  નાતના  રે

મધુવનો આસપાસ તમારી જાતજાતના રે
અમને  તો  વ્હાલી  અમારી  યાતના  રે

ઝીલી  લીધા  છે ઘા  કિસ્મતની ઘાતના રે
અમે તો કાયલ કેવળ  તમારા  સાથના  રે

મહેક્યાતા ક્યારેક બનીને હિસ્સો બજારના રે
અમે  તો  કરમાયેલા ફૂલ તમારી મજારના રે
GAYATRI JOSHI
જીવન   મળ્યુ  મજા  છે,
કોણે   કહ્યુ   સજા   છે,
ઈશ્વર સતત છે  કાર્યરત,
તો હું કેમ કહુ કે રજા છે.
GAYATRI JOSHI

life is happiness or anything aels
જીવન સમજવા ની કોશીશ કરવી એ કંઈ ગુનો છે. શું તમે કહો છો તેમ હું ના કહુ તો હું ખરાબ છું. તમે મને શું સમજો છો. હા હું માનું છું કદાચ તમારા જેટલી બુધ્ધીશાળી નથી. પણ તેનો એવો અર્થ કાઢવાનો અધિકાર તમને કોણે આપી દીધો કે જીવન માં જે પણ ભુલ થાય તે માટે જવાબદાર હું છું. નથી આવડતું પ્રપચ મને નથી આવડતુ રડતાં તો તેનો મતલબ હું ગુનેગાર છું. નથી શીખવી મારે આલ દુુનિયાની રીત રસમો હું નહિ રડુ. કેમ કે તમે મને ના સમજો એ મારો વાંક નથી. મેં કંઈ સમાજને સમજાવવા નો ઠેકો નથી લીધો. હું સામાન્ય માણસ છું. તમને તમારું વિશ્વ મુબારક મને મારુ. હું જીવુમ છું કોઈના માટે નહી મારા માટે. આ જગતમાં કદાચ મારા લાયક વિશ્વય મને મળી જાય તો. તો કેવી મજા આવે નહી ત્યાં કંઈ મારુ નહી કંઈ તારુ નહી બધુ આપણું. બસ સતત વહેતા ઝરણા જેવુ ખીલખીલાટ હાસ્ય. નીખાલસ સંબધો, નીર્દોષ પ્રેમ. અનંત સુધી . બસ ચારેકોર, પ્રસણતા, આનંદ, શાંતી મારી દુનિયા.
GAYATRI JOSHI

ગાયત્રી જોષી
સગવડિયા શ્રાધ્ધ
   સગવડિયા ધર્મની જેમ હવે આપણા પિતૃઓની તૃી માટેનું શ્રાધ્ધ પણ સવારની જગ્યાએ સાંજનું થઈ ગયું છ.ે શહેરમાં રહેતા હોય અને ઘરના બધા નોકરિયાત હોય ત્યારે દરેકની અનુકૂળતા મુજબ સાંજે કે રાતે દુધપાકપૂરીની કાગવાસ નાખવાંમા આવે છે.જે બહાને આખો પરીવાર સાથે બેસીને ખીરની લીજ્જત માણી શકે.એટલે એમ કહિ શકાય કે, ‘ખાને વાલે કો ખાને કા બહાના ચાહિએ’ ચાહે એ પિતૃઓને પહોચેં કે ન પહોચ ેં.  દુધના ભાવ સતત વધી રહયા હોય ત્યારે કદાચ કેસર ઈલાઈચી વાળા દુધપાકનો સબડકો લેવા શહેરીજનોને સગવડિયા શ્રાધ્ધની સીસ્ટમ બધાને ફાવી ગઈ છે. અમદાવાદમાં તો આમેય કાગડાઓની અછત છે અને વળી રાતે કયા કાગડા કાગવાસ ખાવા આવતા હશે એવો પ્રશ્ન થાય તો સીધો જવાબ છે કે કાગડા ખાય કે ન ખાય કુંટુબીજનો જરુર હોંશે હોંશે દુધપાકપૂરી ઝાપટતાં હશે.