ક. મા. મુનશી- કનૈયાલાલ માણેકલાલ મુનશી

ક. મા. મુનશી- કનૈયાલાલ માણેકલાલ મુનશી

કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક. મા. મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) (૧૮૮૭-૧૯૭૧)

ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા.
તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો.
તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું.
૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.
ઓગણીસ વર્ષની ઉંમરે 'એલિસ પ્રાઈઝ' સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા.
૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.
સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો.
તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા.
તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા.
૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું

જન્મની વિગત- ડિસેમ્બર ૩૦, ૧૮૮૭, ભરૂચ
મૃત્યુની વિગત - ફેબ્રુઆરી ૮, ૧૯૭૧, મુંબઇ
રાષ્ટ્રીયતા- ભારતીય
અભ્યાસ- બી.એ., એલ.એલ.બી.
વ્યવસાય- વકીલાત, સાહિત્યકાર
ખિતાબ- પાંચ વિશ્વવિધાલયો તરફથી "ડી.લિટ" ની માનદ પદવી
ધર્મ- હિંદુ
જીવનસાથી- અતિલક્ષ્મી પાઠક, લીલાવતી શેઠ
સંતાન-જગદીશ મુનશી, સરલા શેઠ, ઉઝા રઘુપતિ, લતા મુનશી, ગિરિશ મુનશી
માતા-પિતા- તાપીબા, માણેકલાલ

No comments:

Post a Comment