ખબર નહી કેમ પણ મન ખૂબ ગભરાતું હતું. કંઈક ખરાબ થવાનો અંદેશો વારંવાર મને વિચલીત કરી જતો હતો. અને બન્યું પણ કંઈક એવુજ શું ખરેખર . ખબર નહી પણ કેમ આમ થઈ રહ્યુ હતું હું જેટલો જીવનને સમજવાનો પ્રયત્ન કરુ છું જીવન એટલું જટીલ બનતું જાય છે. શું આજ જીવન છે. ઘણીવાર ઇશ્વર સાથે હું લડી છું પણ આ ઈશ્વર છે કે સુધરતોજ નથી. હા આ ઉપરવાળા ભગવાન બની બેઠેલા પરમેશ્વરનેજ કહું છુ કેમ આમ કરે છે. માણસને કાલ સુધી કશી ખબર પણ ના હોય અને આજે અચાનકજ દુનિયા બદલાઈ જાય. કાલ સુધી જેને જાણતાં પણ ના હોય તે સાથી બની જાય અને જેને આખી જીંદગી હમસફર તરીકે માંગતા હોઈએ તે અચાનક સાથ છોડીને અજનબી બની જાય.
No comments:
Post a Comment