ગાયત્રી જોષી
સગવડિયા શ્રાધ્ધ
   સગવડિયા ધર્મની જેમ હવે આપણા પિતૃઓની તૃી માટેનું શ્રાધ્ધ પણ સવારની જગ્યાએ સાંજનું થઈ ગયું છ.ે શહેરમાં રહેતા હોય અને ઘરના બધા નોકરિયાત હોય ત્યારે દરેકની અનુકૂળતા મુજબ સાંજે કે રાતે દુધપાકપૂરીની કાગવાસ નાખવાંમા આવે છે.જે બહાને આખો પરીવાર સાથે બેસીને ખીરની લીજ્જત માણી શકે.એટલે એમ કહિ શકાય કે, ‘ખાને વાલે કો ખાને કા બહાના ચાહિએ’ ચાહે એ પિતૃઓને પહોચેં કે ન પહોચ ેં.  દુધના ભાવ સતત વધી રહયા હોય ત્યારે કદાચ કેસર ઈલાઈચી વાળા દુધપાકનો સબડકો લેવા શહેરીજનોને સગવડિયા શ્રાધ્ધની સીસ્ટમ બધાને ફાવી ગઈ છે. અમદાવાદમાં તો આમેય કાગડાઓની અછત છે અને વળી રાતે કયા કાગડા કાગવાસ ખાવા આવતા હશે એવો પ્રશ્ન થાય તો સીધો જવાબ છે કે કાગડા ખાય કે ન ખાય કુંટુબીજનો જરુર હોંશે હોંશે દુધપાકપૂરી ઝાપટતાં હશે.

No comments:

Post a Comment